ઋત્વિક રોશને દરેક પરિસ્થતિનો સામનો
હસીને મજબૂતાઇથી કર્યો, પછી તેની
સર્જરીની વાત હોય, કોઇ ફિલ્મનું ફ્લોપ
થવાનું હોય કે તેના ડિવોર્સની વાત હોય.
ઋત્વિક કહે છે લાઇફમાં ચડાવ-ઉતાર તો
આવતા જ રહે છે. કેટલીક વાર ન ધાર્યા હોય
તેવા વળાંકો પણ આવે છે, પરંતુ મેઇન વાત
એ છે કે તમે બસ આગળ વધતા રહો. તમારે
લાઇફને રોલર કોસ્ટરની જેમ એન્જોય
કરવાની હોય છે. આખરે કોણ એવું ઇચ્છે છે કે
તેની જિંદગી એક એવું રોલર કોસ્ટર બની
જાય જે બહુ ધીમી સ્પીડથી ચાલતું હોય.
ઋત્વિકે જ્યારે કાઇટ્સનું શૂટિંગ શરૂ કર્યું હતું
ત્યારે તેને લાગ્યું હતું કે તે હવે ફિલ્મોમાં
કામ નહીં કરી શકે. તેના ઘૂંટણમાં છેલ્લાં બે
વર્ષથી દુખાવો થતો હતો. છ મહિના સુધી
તેણે લાકડીથી ચાલવું પડ્યું હતું. ત્યારબાદ મેં
ગુઝારિશને મારી આખરી ફિલ્મ તરીકે સાઇન
કરી, કેમ કે ડોક્ટર્સે કહી દીધું હતું કે હવે
ક્યારેય મારા ઘૂંટણ ઠીક નહીં થાય. ત્યારે હું
35 વર્ષનો હતો. ત્યારે જ મારા ડોક્ટર્સે કહી
દીધું કે હવે મારી પાસે ચાલવા માટે માત્ર
એક જ વર્ષ છે.
ત્યારે મને લાગ્યું કે મારી જિંદગી ખતમ થઇ
ગઇ છે. હું મારી જાતને એ હાલતમાં ઇમેજિન
કરવા લાગ્યો કે હવે હું મારાં બાળકો સાથે
ફૂટબોલ નહીં રમી શકું. મેં પિયાનો પણ એમ
વિચારીને ખરીદ્યો કે હું એક્ટિંગ નહીં કરી શકું
તો કમસે કમ ગાઇ તો શકીશ, જોકે હું હાર
માનવા ઇચ્છતો ન હતો. હું ચાઇના,
ફિનલેન્ડ અને સિંગાપોર ગયો. મારા ઘૂંટણ
માટે દરેક શક્ય થેરપી લીધી. લગભગ બે
વર્ષ સુધી રોજ બે કલાક થેરપીથી આખરે
મારું દર્દ એક દિવસ ગાયબ થઇ જ ગયું.
તમારે દરેક પરિસ્થિતિમાં કોઇ એક્શન તો
લેવાં જ પડે છે. દરેક વ્યક્તિમાં દમ હોય છે કે
જે કોઇ પણ મુશ્કેલ સમયને માત આપી દે.
ડોક્ટર્સ પણ સરપ્રાઇઝ્ડ હતા કે આખરે મારા
ઘૂંટણનું દર્દ કેવી રીતે ગાયબ થયું.
મેં પણ વિચાર્યું ન હતું કે હું આમ કરી શકીશ,
પરંતુ તમારે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું
હોય છે. તે તમારા માટે એનર્જીનું કામ કરે છે.
મેં કોઇ પણ પરિસ્થિતિમાં હાર માની નથી.

No comments:
Post a Comment